અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા: દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપ્યું હતું રાજીનામું
- 04 May, 2024
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા પછી અરવિંદર સિંહ લવલી અંગે વિવિધ અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે તેઓ આજે ભાજપમાં જોડાઈ જતા આ તમામ અટકળોનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા.
પહેલા અરવિંદર સિંહે શું વાત કરી હતી
પોતાના રાજીનામા અંગે વાત કરતા અરવિંદર સિંહ લવલીએ કહ્યું હતું કે મારા વિશે એવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે કે હું ટિકિટ ન મળવાને પગલે નારાજ હતો એટલે મેં રાજીનામું આપી દીધું છે. જોકે આ બાબત ખોટી છે. જ્યારે દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્રાજને આ દાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે અરવિંદર સિંહ લવલી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડશે. જોકે આ વાતનો ખુલાસો કરતા અરવિંદરે કહ્યું હતું કે હું સૌરભ ભારદ્રાજને શુભકામના પાઠવવા બદલ આભાર માનું છું. મને લાગે છે કે તે અન્ય પક્ષો વતી નિર્ણયો લે છે.
અરવિંદરે આ અંગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી મેં રાજીનામું આપી દીધું છે. હું કોઈ પાર્ટીમાં જઈ રહ્યો નથી. મારી લડાઈ સિદ્ધાંતોને લઈને છે. કોંગ્રેસના કાર્યકરોના મનની પીડાને ધ્યાને લેતા મેં રાજીનામું આપ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ